જુના મકાનનું વોટરપ્રૂફિંગ

જુના મકાનનું વોટરપ્રૂફિંગ – કઈ જગ્યાઓ માં કરાવવું વધુ જરૂરી છે?

જ્યાં મકાન જૂનું થાય ત્યાં ભેજ , લીકેજ અને માળખાકીય નુકસાન થવાની શક્યતા વધુ હોય છે. ખાસ કરીને નીચે જણાવેલા વિસ્તારોમાં જુના મકાનનું વોટરપ્રૂફિંગ કરાવવું અત્યંત જરૂરી બની જાય છે. જૂની ઇમારતના કેટલાક મુખ્ય વિસ્તારોમાં પાણીથી થનાર    નુકસાન, માળખાકીય બગાડ અને ફૂગ/બેક્ટેરિયા ના વિકાસને રોકવા માટે અહીં તેના સૌથી મહત્વપૂર્ણ સ્થાનો કયા કયા છે? તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.   

અંદરની દિવાલોનું વોટરપ્રૂફિંગ
જુના મકાનનું વોટરપ્રૂફિંગ – કયા સ્થળે કરાવવું સૌથી વધુ જરૂરી છે?

૧. ધાબું અને સિલીંગ  

જૂનું થયેલું બાંધકામ અને તેમાં વપરાયેલી સામગ્રીઓ વરસાદ અને ગરમી ને કારણે  નબળું પડી ધાબામાં તિરાડો  અને પ્લાસ્ટરને નુકશાન થાય છે.     તેને કારણે શરૂઆતમાં  ભેજ અને પછીપાણીનું  લીકેજ ચાલુ થાય છે.જો ભેજ દેખાવાનું ચાલુ થાય ત્યારે જ  વોટરપ્રૂફિંગ  કરવામાં ના આવે તો જૂની છતમાંથી પ્લાસ્ટરના પોપળા પડવાની કે મોટું ગાબડું  પડવાની પણ શક્યતા રહેલી છે.                        .

આટલી સાવચેતીના પગલાં અવશ્ય લો. 

  • ખાસ કરીને પ્રથમ પગલું ચોમાસું શરૂ  થાય તે પહેલા દર વર્ષે  ધાબાને વાળી ચોખ્ખું કરાવો.લીલ અને માટીના થરને પતરાં વડે ઘસીને દૂર કરી ધાબું પાણીથી ધોવડાવી દો.   
  • છતમાં જો, કોઈ ખાડા કે ગાબડાં દેખાય તો તેની મરમ્મત કરાવો.
  • પાણી ભરાઇ ના રહે તેના માટે  આઉટલેટ પાઈપો સાફ કરાવો. અને જો કોઈ પાઇપ તૂટેલી હોય તો, તેને બદલાવી નાખો. 
  • ધાબા ઉપર ફક્ત  નાની-મોટી  તિરાળો દેખાતી હોય તો, અમારી ફક્ત રૂપિયા 999/- મળતી   ક્રેક-ફિલર કીટ મંગાવીને દરેક ક્રેકને સીલ કરો.
  • જો,  લાગે કે, ઘણી બધી તિરાળો અને જીણી ક્રેકસ આખા ધાબામાં દેખાય છે તો, ધાબાનું અંદાજિત માપ ચોરસફૂટ માં ગણતરી કરી આખા ધાબામાં વોટરપ્રૂફિંગ કરાવવું  જરૂરી છે.    ધાબું માપવા માટેની સરળ રીત  👉 હોમપેજ ઉપર આપેલી છે
જુના બાથરૂમ નું કમ્પ્લીટ રિનોવેશન
બાથરૂમ ખૂબ જૂનું હોય તો સંપૂર્ણ રિનોવેશન કરાવવું.

 2. બાથરૂમ અને રસોડું 

આ વિસ્તારોમાં પાણીનો સતત વપરાશ હોવાને કારણે લીકેજ થવાની સંભાવના સૌથી વધુ હોય છે. ખાસ કરીને જૂના નળ, પાઈપલાઇન અથવા ટાઇલ્સના ખૂણામાંથી પાણી સરસરી શકે છે.    

  • જો બાથરૂમ અને રસોડાના  ટાઇલ્સના જોઇન્ટ્સ ખૂલી ગયા હોય અથવા નળ કે ડ્રેનેજ લાઇનમાં કોઈ ખામી ઊભી થઈ હોય તો, મોટા નુકશાન થી બચવા માટે નીચે જણાવેલ  ઉપાય કરાવી શકો.
  • બાથરૂમ કે રસોડાનું નીચેનું ટાઇલ્સ વાળું તળિયું ખોલાવીને. નવી ડ્રેનેજ લાઇન તથા પાણીની પાઈપો બદલાવવી. નોંધ: લાંબા સમય સુંધી સારી કામગીરી આપે તે માટે ટાઇલ્સ લગાવતા પહેલા  ready-to-use-waterproofing-chemical-psv-premix    ના ત્રણ કોટિંગ   કરવા.
  • જો બાથરૂમ વધારે જૂનું  હોય તો,   અમારી સલાહ છે કે, આખા બાથરૂમ ને યોગ્ય કોન્ટ્રાકટર   પાસે રિનોવેશન કરાવો. યાદ રાખો કે, લાંબાવર્ષોના ફાયદા માટે    દરેક કામમાં વોટરપ્રૂફિંગ કરાવવું  ખૂબ જરૂરી છે.  
  • જો, તમને ખાત્રી હોય કે; ફક્ત ટાઇલ્સના જોઇન્ટ માંથી  લીકેજ આવે છે તો, અમારી Clear-coat – Tile Joint Sealant મંગાવીને તેમાં જણાવેલ પધ્ધતિથી જોઇન્ટ સીલ કરાવી ઓછા ખર્ચે  આ મુસીબતથી છુટકારો મેળવો. 
બેઝમેન્ટ અને પાયો (Foundations)

3. બેઝમેન્ટ અને પાયો (Foundations)

જૂના મકાનના પાયો છિદ્રાળુ હોઈ શકે છે, જેના કારણે જમીનમાંથી પાણી પ્રવેશે છે.

જરૂરી પગલાં:

  • બહારથી વોટરપ્રૂફ કોટિંગ કરાવવું.

  • ડ્રેનેજ સિસ્ટમની યોગ્ય વ્યવસ્થા કરવી.

  • આંતરિક વોટરપ્રૂફ કોટિંગ અને ગ્રાઉટિંગ થી પણ ભીતરથી બચાવ શક્ય

નિષ્ણાત સલાહ

જુના મકાનનું વોટરપ્રૂફિંગ કરાવવું માત્ર એક ઓપ્શન નથી, પરંતુ મકાનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાનો એકમાત્ર રસ્તો છે.

શું તમારું મકાન પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે? તો આજે જ Waterseal ટીમનો સંપર્ક કરો અને તમારા મકાન માટે યોગ્ય વોટરપ્રૂફિંગ ઉપાય જાણો.

અમારા વોટરપ્રૂફિંગ ના નિષ્ણાત સાથે વાત કરો અને વોટરપ્રૂફિંગ માટે સાચી સલાહ મેળવો.